કાલાવડ પાસે અકસ્માતમાં ઘવાયેલ યુવતીનું મૃત્યુઃ મૃત્યુ આંક છ થયો
જામનગરઃ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ પરિવારો દરગાહ દર્શન કરીને પરત ફરતી વેળાએ કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામ પાસે વાહન અકસ્માત નડયો હતો. તેમાં પાંચ વ્યકિતના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જયારે એક યુવતીએ જુનાગઢની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડતા મૃત્યુનો આંક છ થયો છે.
જામનગરમા બેડી વિસ્તારમા રહેતા બે પરિવારો ગઇ કાલે સવારે ઇકો કારમા બેસીન પોરબંદર નજીક આવેલીી એક દરગાહે દર્શન કરવા માટે ગયા હતા. અને દર્શન કરીને પરિવારના આઠ સભ્યો જામનગર પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામના પાટીયા પાસે પહોંચતા ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઘટના સ્થળે જ પાંચ વ્યકિતના કરૂણ મૃત્યુ નીપજયા હતા. અન્ય ત્રણ ઘાયલ થયા હતા.