સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th December 2018

જુનાગઢના મનુભાઇ કારીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૮: જુનાગઢ આંબાવાડીમાં પંકજ ડાયમંડ સામે રહેતાં મનુભાઇ કેવલરામ કારીયા (ઉ.૫૦) નામના સિંધી લોહાણા પ્રોૈઢ બિમારીથી બેભાન થઇ જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કટલેરીની ફેરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એ ક પુત્રી છે. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

 

(11:54 am IST)