જુનાગઢમાં હત્યા કરવાના ઇરાદે તમંચો-કાર્ટીસ સાથે નીકળેલ સલીમ દલ ઝડપાયો : રપ ગુન્હાની કબુલાત
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮: જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ર હત્યા સહિત રપ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને અંગત અદાવતમાં હત્યા કરવાના ઇરાદે દેશી તમંચો અને ૭ જીવતા કાર્ટીસ સાથે નીકળેલ માણાવદરના પીપલાણા ગામનો સલીમ ઉર્ફે ભુરયો ઇશાકભાઇ દલ (ગામેતી ઉ.વ.૩ર) ઝડપાયો છે.
આ શખ્સે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં રપ ગુન્હા આચર્યા હતા.
આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા. પો. ઇન્સ. શ્રી એચ.આઇ. ભાટી તથા પો. સ.ઇ. એ.ડી. વાળા તથા એ.એસ.આઇ. વિ.એન. બડવા તથા પો. હેડ કોન્સ. જયદિપભાઇ કનેરીયા પો. કોન્સ. સાહિલભાઇ સમા, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા. પો. કોન્સ. મુકેશભાઇ કોડીયાતર વિગેરે પો. સ્ટાફે કરી હતી.