સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th October 2021

પ્રદેશ કોંગેસ ઓ.બી.સી.એલ.ના હેઠળ મોરબી આવેદન અપાયું : યુપીમાં ખેડૂતોની નિર્દયી હત્યા કરનાર નરાધમોને કડક સજા કરો

 મોરબીઃ ઉત્ત્।રપ્રદેશના લખમીપુર ખીરીમાં ખેડૂતો ઉપર થયેલા અમાનુષી અત્યાચાર મામલે મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મહામંત્રી અને મોરબીના પ્રભારી પ્રવિણભાઇ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી શહેર જિલ્લા ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહિર, કિસાન સેલ પ્રમુખ ભાવેશભાઈ, માલધારી સેલ પ્રદેશ ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, માલધારી સેલ મહામંત્રી રમેશભાઇ રબારી, પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ગામી, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજયગુરુ, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન અમુભાઇ હૂંબલ, જિલ્લા મહામંત્રી વિનુભાઈ ડાભી, સેવાદળ બાબુભાઇ વેરાણા, જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઇ વાદ્યેલા, જિલ્લા ઓબીસી ઉપ.પ્રમુખ ભરતભાઇ કુભારવાડિયા, શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, ટંકારા તાલુકા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા,હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુભાઈ , મોરબી તાલુકા ઓબીસી રાજુભાઇ ભરવાડ, માળીયા તાલુકા પંચાયતના સદસ્ય લક્ષમનભાઇ નાટડા, સહિત કોંગ્રેસના આગેવાનો હિદેદારો હાજર રહી આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી દોષિત આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(12:49 pm IST)