સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 8th September 2019

બરડા ડુંગર પર અચાનક પાણીનો પ્રવાહ આવતા લોહાણા પરિવાર તણાયો : ત્રણ મહિલાના કરૂણમોત : 12 વર્ષની બાળકીની શોધખોળ

જામનગરના છ લોકોએ પણ મોત સામને ભાળ્યું : ચમત્કારિક બચાવ :ડુંગર પરથી શીલા ખસતા પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો

પોરબંદર : બરડા ડુંગર પર અચાનક પાણીનો પ્રવાહ આવતા ધૂન કરી રહેલ લોહાણા પરિવાર તણાયો  હતો જેમાં ત્રણ મહિલાના મોત નિપજ્યા હતા આ દરમિયાન  જામનગર ના 6 લોકોએ પણ મોત સામે ભાળ્યું હતું જોકે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો

  જાણવા મળ્યા મુજબ .ભારે વરસાદ થી ડુંગર પર શીલા ખસીને પાણીનો પ્રવાહ ઘસી આવ્યો હતો  ખોડિયાર જરા નજીક તણાઈ જવાથી રઘુવંશી પરિવારની 3 મહિલાના મોત થયા છે હાલમાં ડેડબોડી રાણાવાવ હોસ્પિટલમાં લવાઈ છે મૃતકોમાં રીનાબેન  જીતેન્દ્ર ભાઈ બારાઈ, શિવાની જીતેન્દ્રભાઈ બારાઈ અને ધારાબેન રાજેશભાઈ કોટેચા નો સમાવેશ થાય છે  મરણ પામનાર બન્ને બહેનો છે..રીનાબેન બારાઇ ની દિકરી શિવાની બારેક વષઁ ની હજી મલી નથી..બે ડેડબોડી પીએમ પછી પરિવાર ને સોંપી દીધા છે...

(11:32 pm IST)