સાવરકુંડલાઃ હાર્દિક પટેલને મુસ્લીમ અગ્રણીઓનું સમર્થન
રાજકોટ તા.૮: ''પાસ''ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના મુદ્દે અને પાટીદાર અનામત મુદ્દે ઉપવાસ આંદોલનને સોૈરાષ્ટ્ર-કચ્છમાં ભારે સમર્થન મળ્યું છે અને જામનગર જિલ્લાનું જામજોધપુર આજે સવારથી બંધ છે. પોલીસે ૯ પાટીદારોની અટકાયત કરી હતી.
આ ઉપરાંત હાર્દિક પટેલના સમર્થનમાં રાજકોટ સહિત સોેરાષ્ટ્ર-કચ્છમાં ચક્કાજામ, રામધુન, આવેદન, પ્રતિક ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજાયા છે.
જામજોધપુર
જામજોધપુર : અમદાવાદ મુકામે ગુજરાત ''પાસ'' સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પાટીદારને અનામત આપી તેમજ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે ૧૪ દિવસથી ઉપવાસ પર ઉતરેલ છે. જેમને લઇને તેમના સમર્થનમાં આજ રોજ જામજોધપુર શહેરે બંધ પાડયો છે. શાળા કોલેજોમાં પણ બંધને લઇને રજા પાડી દેવામાં આવેલ છે તેમજ બપોરે ૩ થી ૪ કલાક સુધી કડવા પાટીદાર સમાજ મુકામે હાર્દિકના સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ભવ્ય રામધુન રાખવામાં આવેલ છે