સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

વિસાવદરના ચાંપરડા ગામે સેવા સેતુમાં ૧ર૩પ પ્રશ્નોનો ઉકેલ

વિસાવદર તા. ૮: તાલુકાનાં ચાંપરડા ગામે દશ ગામોનો 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં '૧ર૩પ' પ્રશ્નો રજુ થયા હતા તમામ વિભાગ દ્વારા આ લોક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નાયબ કલેકટર વાળા મામલતદાર ગોસાઇ તાલુકા વિકાસ અધિકારી પ્રજાપતિ તેમજ તાલુકાનાં તમામ વિભાગનાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓમાં હરીભાઇ રીબડીયા તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઇ કોટીલા-ભાજપ મહામંત્રી તાલુકા પંચાયત-પ્રમુખ કાવાણી સરપંચ, ચાંપરડા ઉપ સરપંચ રણજીતભાઇ વાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સરકારશ્રી દ્વારા યોજાતાં સેવા સેતુના કાર્યક્રમથી અરજદાર અને નાગરિકો ખૂબ ખુશ જણાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર અને સરપંચશ્રી રણજીતભાઇ વાળાએ જહેમત ઉઠાવી હતી. (૭.૧૭)

(12:27 pm IST)