સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ગાંધીધામમાં ૧૩ વર્ષના બાળકનો ગળે ફાંસો ખાઇને આપઘાત

ભુજ તા. ૮ :.. (ભુજ) ગાંધીધામના ખોડીયારનગરમાં રહેતા ૧૩ વર્ષીય બાળક સુરેશ વિષ્ણુરામ મેઘવાળે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા અરેરાટી છવાઇ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરેશના પિતા રાજસ્થાન ગયા હતા અને માતા તથા અન્ય ભાઇ-બહેન બજારમાં ગયા હતા ત્યારે તેણે પોતાના ઘેર લાકડાની આડીમાં ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યુ હતું. ૭ માં ધોરણમાં અભ્યાસ કરતા સુરેશની આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૧૧)

(12:23 pm IST)