News of Saturday, 8th September 2018
મોરબી પાસે વિજકરંટ લાગતા શકતસનાળાના કિશનભાઈનું મોત
મોરબી, તા. ૮ :. મોરબી નજીક વિજકરંટ લાગતા શકતસનાળાના યુવાનનું મોત નિપજ્યુ હતું.
મળતી વિગતો મુજબ મોરબીના શકતસનાળાથી પંચાસર જવાના કાચા રસ્તે હિરાભાઈના કારખાનાથી આગળના રસ્તે ગત તા. ૧-૯ ના રોજ શકતસનાળા ગામે રહેતા કિશનભાઈ ભીમસીંગભાઈ કટારા (ઉ.વ. ૩૫)ને વિજશોક લાગતા તેમને પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું.
(12:17 pm IST)