સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

પોરબંદરના કલેકટર અશોક શર્મા બીજીવાર કોરોના સંક્રમિતઃ જિલ્લામાં કોરોનાના નવા ૩ કેસો

(હેમેન્દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૮ : કલેકટર અશોક શર્માનો  કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમની સારવાર શરૃ કરવામાં આવી છે. જિલ્લામાં ગઇકાલે પ૮૬ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમા કલેકટર અશોક શર્મા સહિત કુલ ૩ વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યાં છે
થોડા સમય પહેલા કલેકટર અશોક શર્મા કોરોના સંક્રમિત થયા બાદ તેઓ સાજા થઇ ગયા હતાં. ત્યાર પછી ગઇકાલે તેઓ બીજીવાર કોરોના સંક્રમિત થયેલ છે.
ગઇકાલે સિવિલ હોસ્પિટલ ખાતે પ૮૬ વ્યકિતઓને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં જિલ્લા કલેકટર અશોક શર્મા તથા રાજીવનગર અને જુના કુંભારવાડામાં રહેતા અન્ય ર પુરૃષો એમ કુલ ૩ વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪ર૪ર પહોંચી છે. કોરોનાની સારવારમાં અન્ય ૬ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૦૬૮ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઇ ગયેલ છે. જિલ્લામાં કોરોનાના ૩પ કેસો એકટીવ છે. જેમાંથી ૧૪ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ૧૧ દર્દીઓ, કોવિડ સેન્ટરમાં તથા ૧૦ દર્દીઓ  હોમ આઇસોલેટ છે.

 

(1:17 pm IST)