News of Monday, 8th August 2022
જડેશ્વર દાદાથી નાતો
જોડયો અમે જડેશ્વર દાદાથી નાતો
કરવા સુખ દુખની બે વાતો
હેતે જડેશ્વર દાદા પાસે જઇને ગીત મધુરા ગાતો
હું નાચુને જડેશ્વર દાદા નાચે હૈયામાં હરખાતો
મળતો જયારે હોશે જડેશ્વર દાદા આનંદ ઉભરાતો
ઘણા દિવસના વહાણાવાયા સ્નેહ સુધારસ પાતો
ચાલો સેવકો જડેશ્વર દાદાને પુજવામાં આવી રાતો
બોલાવે છે જડેશ્વર દાદાને સાદ નથી સંભળાતો
આપણે બનેલા મહાદેવના દિવાના ભવનો ભેદ ભુલાતો
પાગલ ‘રમેશ' પ્રેમદાદાને તેથી મારી બે લાતો
ઘડીભર કેડ વળી ગઇ વાંકી તોય મન મલકાતો
‘રમેશ' એ યાદ કરીને સુખે સદા સુઇ જાતો
કવિ રાજગોર - રમેશ એ
મો.૯૬૬૪૯ પપ૮૦૪ - વાંકાનેર
(11:56 am IST)