સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th August 2018

થાનમાં કુંભાર બાળા અંજના પેટના દુઃખાવાથી કંટાળી સળગી

રાજકોટ તા. ૮:  થાનમાં રહેતી અંજના સુંદરજીભાઇ વાણેશીયા (ઉ.૧૬) નામની કુંભાર બાળાએ અગ્નિસ્નાન કરી લેતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

અંજના ત્રણ બહેન અને એક ભાઇમાં નાની છે. તેના પિતા છુટક મજૂરી કરે છે. પેટના દુઃખાવાથી કંટાળીને આ પગલું ભરી લીધાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(11:57 am IST)