સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th July 2020

ભાવનગર જિલ્લાના ભુંભલી ગામના ૬૫ વર્ષના મહિલાનો કોરોનાએ ભોગ લીધો : કુલ મૃત્યુઆંક ૧૪

ભાવનગર : ભાવનગર જિલ્લાના ભુંભલી ગામના ૬૫ વર્ષના મહિલાનો કોરોનાએ ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે કુલ મૃત્યુઆંક ૧૪ થયો છે.

     ભાવનગર ની હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા બ્રાહ્મણ મહિલાનુ મોત નિપજ્યું છે આ સાથે ભાવનગરમાં કોરોના થી મૃત્યુઆંક વધીને ૧૪ થયો છે.

      ભાવનગરમાં આજે કોરોના એ વધુ એકનો ભોગ લીધો છે ભાવનગરના ભુંભલી ગામના ૬૫ વર્ષના હંસાબેન મહિપતરાય જાનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તારીખ 24 જૂનના રોજ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેમને કોરોના ની સારવાર શરૂ કરવામાં આવી હતી જ્યાં આજે બપોરે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.

 હાલમાં ભાવનગરમાં કોરોના ના કુલ કેસ 403 થયા છે હજુ 202 દર્દીઓ સારવાર હેઠળ છે.

(11:46 am IST)