વાંકાનેરની ઢુંવા ચોકડી પાસે બંધ કારખાનામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો :ગળેટુંપો દઈને હત્યા:પતિ શંકાના દાયરામાં
ફોટો vakaner
વાંકાનેરની ઢુંવા ચોકડી પાસે આવેલ બંધ સીરામીક કારખાનામાંથી પરણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો ફોરેન્સિક રિપોર્ટમાં આ પરણીતાને ગળેટુંપો દઈને હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. તેણીનો પતિ પોલીસની શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક ઢુંવા ચોકડી પાસે આવેલ બંધ હાલતમાં રહેલા સૂર્યા સીરામીક કારખાનાની ઓરડીમાંથી શુક્રવારે સાંજે પાંચ વાગ્યે મૂળ એમપીની લક્ષ્મીબેન પીરુલાલ બાલાઈ (ઉ.વ.25)નામની પરણીતાંનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ શંકાસ્પદ લાગતા વાંકાનેર પોલીસે આ બનાવનું સાચું કારણ જાણવા વાંકાનેર પોલીસે પરણીતાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો. જેમાં ફોરેન્સિક પીએમમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.પરિણીતાના ગળાના ભાગે કાળું નિશાન હોવાથી ફોરેન્સીક પીએમમાં તેણીને ગળેટૂંપો આપી હત્યા કરાયાનો ધડાકો થયો છે