જસદણમાં આડાસંબંધના મનદુઃખમાં અરવિંદ દેવીપુજક પર છરીથી હુમલો
દેવપરાગામે પ્રેમ સંબંધ મામલે પ્રાગજીભાઇ કોળીના ઘરમાં ઘુસી ૪ શખ્સોનો હુમલો
રાજકોટ, તા., ૮: જસદણમાં આડાસંબંધના મનદુઃખના કારણે દેવીપુજક યુવાન પર બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ લાતી પ્લોટ, સાત ડેરી પાસે અરવિંદભાઇ રામજીભાઇ દેવીપુજક (ઉ.વ.રપ) પર મનહર ઉર્ફે નવો નારણભાઇ ખીહડીયા તથા રાજુ ઉર્ફે હડકાયો બોઘાભાઇ ગળીયા (રહે. બંન્ને જસદણ)એ છરી તથા લાકડીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત અરવિંદને બાજુમાં રહેતી મહિલા સાથે આડાસબંધ હોય તે મનદુઃખના કારણે ઉકત બંન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ઉકત બંન્ને શખ્સો સામે ફરીયાદ થતા પીએસઆઇ આર.પી.કોડીયાતરે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જસદણના દેવપરા ગામની સીમમાં રહેતા પ્રાગજીભાઇ તળશીભાઇ કોળી (ઉ.વ.પ૦)ના ઘરમાં વિનુભાઇ ગોરધનભાઇ સદાદીયા, વિનુભાઇની પત્ની તથા વિનુભાઇના બે બનેવી સહિત ૪ શખ્સોએ ઘુસી જઇ લાકડી તથા પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. વિનુભાઇની બહેન તથા ઇજાગ્રસ્ત પ્રાગજીભાઇનો પુત્ર મહેશ ૬-૭ દિવસ પહેલા પ્રેમસંબંધના કારણે જતા રહેલ હોય તે મનદુઃખના કારણે ઉકત ચારેય શખ્સોએ હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ થતા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ એ.જાડેજાએ તપાસ હાથ ધરી છે. (૪.૩)