આટકોટની બ્રાહ્મણ પરિણીતાના આપઘાત કેસમાં પતિ-સાસરીયા સામે ગુન્હો નોંધાયો
તું વાંઝણી છો... તેમ કહી ત્રાસ અપાતા નિલમ પંચોલીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો'તો
રાજકોટ, તા., ૮: જસદણના આટકોટમાં બ્રાહ્મણ પરણીતાના આપઘાત પ્રકરણમાં પતિ અને સાસરીયા સામે આપઘાત માટે મજબુર કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આટકોટમાં બે માસ પુર્વે નિલમબેન પંચોલી નામની બ્રાહ્મણ પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પરણીતાના ભાઇ તુષારકુમાર હસમુખભાઇ ભટ્ટએ તેની બહેનના પતિ ગૌતમકુમાર ત્રંબકલાલ પંચોલી, સાસુ ગીતાબેન ત્રંબકલાલ પંચોલી, દિયર હિરેન પંચોલી તથા દેરાણી દિપ્તીબેન સામે આટકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની બહેનને તેના પતિ તથા સાસરીયા તું વાંઝણી છો... તેવા મેણા-ટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હતી.
આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ કે.પી.મહેતા ચલાવી રહયા છે.
મોટા દડવામાં ચોરી
આટકોટના મોટા દડવા ગામે રહેતા પરસોતમભાઇ રાવલના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી કબાટની તીજોરીમાંથી ૧૪ હજાર રોકડની ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.