પોરબંદરના રાણાકંડોરણામાં સાસુ-સસરાથી અલગ થવાની ઇચ્છા પૂર્ણ ન થતા માતાનું ર વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન
પોરબંદર, તા. ૮ : પોરબંદર પાસે રાણાકંડોરણામાં સાસુ-સસરાથી અલગ થવું હોય અને આ ઇચ્છા પૂર્ણ ન થતાં આવેશમાં આવી જઇને રમીલાબેન અજયભાઇ કરંગીયા (ઉ.રપ) એ તેના ર વર્ષના પુત્ર માહીર સાથે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા બનનેના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ છે.
મરનાર રમીલાબેનના કુતિયાણાના બાલોચ ગામે રહેતા ભાઇ લખનભાઇ મારખીભાઇએ પોલીસને નિવેદનમાં જણાવેલ કે મરનાર મારા બહેન રમીલાબેન સાથે સાસરીયામાં કોઇની સાથે કજીયા કંકાસ નહોતો, પરંતુ સાસુ સસરાથી અલગ રહવું હોય અને આ ઇચ્છા પૂર્ણ ન થતાં આવેશમાં આવી જઇને ર વર્ષના પુત્રને લઇ પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું.
મરનાર રમીલાબેનના ભાઇઓ તેના ભાણેજ માહીરને કેરોસીન છાંટી સળગાવી દેવાા અંગે રમીલાબેન સામે ફરીયાદ નોંધાવતા રમીલાબેન સામે પુત્રની હત્યાનો અલગ ગુન્હો નોંધાયો છે. માતા-પુત્રની લાશનું રાણાવાવ હોસ્પિટલે પી.એમ. કરાયું છે.