કાલે કવિ કલાપીની પૂણ્યતિથિ લાઠીમાં કવિ સંમેલન
રાજવી કવિની ૧૧૯મી પુણ્યતિથિ નિમિત્તે 'દરિયાની મિઠી લહેર' કાર્યક્રમમાં કાવ્યપાઠનું રસપાન
અમરેલી-બાબરા, તા. ૮ : કાલે લાઠીના રાજવી કવિ કલાપીની ૧૧૯મી પુણ્યતિથિ નિમિત્તે લાઠીના શ્રી સંતોકબા મેડીકલ સેન્ટર, લાલજીદાદાનો વડલો, ખાતે સાંજે પ થી ૭ દરમિયાન 'દરિયાની મીઠી લહેર કવિ સંમેલન'નું ભવ્ય આયોજન આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ-લાઠી અને બાલભવન-અમરેલીના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ કવિ સંમેલનમાં કીર્તિકુમારસિંહજી ગોહિલ (નામદાર ઠાકોર સાહેબ-લાઠી), દુલાભાઇ એમ. શંકર (શિવમ જવેલ્સ-સુરત), જીતુભાઇ બી. ડેર (અગ્રણી ઉદ્યોગપતિ-અમરેલી), ભરતભાઇ એચ. ડેર (આદેશ કન્ટ્રકશન-જામનગર), આર.સી. દવે (પ્રમુખ વકીલ મંડળ-લાઠી), કેતનભાઇ સોની (નિલકંઠ જવેર્લ્સ (લાઠીવાળા)-અમરેલી) સહિતના ઉપસ્થિત રહેશે.
આ કવિ સંમેલનમાં કવિ હર્ષદ ચંદારાણા, ભરત વિંજુડા, શિવજી રૂખડા, ઉમેશ જોષી, પરેશ મહેતા, રવિ દવે, અભય દવે, શીલા મહેતા, પાયલ જોષી, મહેન્દ્રભાઇ જોષી, ચિરાગ ભટ્ટ, મુકેશ દવે, સંજય ભટ્ટ, હરજીવન દાફડા, પ્રણવ પંડયા, સ્નેહી પરમાર, પારૂલ ખખ્ખર, કાલિન્દી પરીખ, અમિત ભાડલીયા, હિમલ પંડયા, ઘનશ્યામસિંહ રાઠોડ, ધર્મેશ ઉનાગર, મુકેશ જોગી, પ્રકાશ મકવાણા, બાલકિશન જોગી, ડો. વિનોદ રાવલ, કનુભાઇ લીંબાસીયા, પંકજ ચૌહાણ, પૂર્વી લુહાર, મહેન્દ્ર જોષી, મનોજ પરમાર, હર્ષા દવે, ભારતી ગોહિલ, ડો. ભારતી બોરડ, અંજના ગોસ્વામી, જિજ્ઞા ત્રિવેદી, જયંત શેખા, યોગેશ અગ્રાવત, ગોપાલ ધકાણ, શૈલેષ ત્રિવેદી, હસુભાઇ મહેતા, ભૂમિર બોસમીયા, આનંદ ઠાકર, પ્રવિણ પટેલ, વિપુલ પંડયા, ધારા ધંધુકીયા, બિન્દુ જોષી કાવનું રસપાન કરાવશે. ઉદ્ઘોષક -હરેશ વડાવિયા, કેતન કાનપરીયા, અમિત ભાડલિયા તરીકે સેવા આપશે.
ઉપસ્થિત રહેલા બાલભવન અમરેલીના નિયામક નિલેશ પાઠક અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ-લાઠીના પ્રમુખ ઇતેષ મહેતાએ આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમબાદ આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાશે.