સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

વડીયાના કંઠનાથ મહાદેવ મંદિરે અમરનાથ બાપુની પુણ્યતિથી ઉજવાઇ

વડિયા કંઠડનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી અમરનાથબાપુની ૧૭મી પુણ્યતિથી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી વડિયા ખાતે અતિ પુરાણીક કંથડનાથ મહાદેવ મંદિર ખાતે આજે બટુક ભોજન મહાપ્રસાદ ગુરુ પૂજન સમાધી પુજન સહીતના કાર્યક્રમો યોજાયા વડિયા કંઠડનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રી અમરનાથજી બાપુ ગુરુ શ્રી રામનાથજી બાપુની ૧૭મી પુણ્યતિથી ઉજવવામાં આવેલ જેમાં હજારોની સંખ્યામાં દુર દુર થી સાધુ સંતો મહંતો ઉમટી પડ્યા હતાં આ તકે મંદિરના મહંત શ્રી ભરતનાથ બાપુએ તમામ સાધુ-સંતોનાં આશીર્વાદ લય ગુરુ પુજન કરવામાં આવેલ હતું તેમજ વડિયા તેમજ દુર દુર થી સેવકો પણ ઉમટી પડ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર અહેવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા)

(11:30 am IST)