સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ મંડવીયા ભાવનગરમાં

ભાવનગર, તા.૮: કેન્દ્રસરકારમાં બીજીવાર મંત્રી બન્યા બાદ મનસુખભાઇ માંડવીયાજી પ્રથમ વાર આજે શનિ વારે સવારે ૯/૩૦ કલાકે ભાવનગર આવેલ. તેઓશ્રી શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને મળી અભિવાદન સ્વીકારશે અને કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે શુભેચ્છા મુલાકાત કરશે ઉપરાંત આ અવસરે શહેરના વિવિધ એસોસિયેશનો, સામાજિક અને વેપારી સંસ્થાઓ, એન.જી.ઓ. સંસ્થાઓ, અગ્રણી આગેવાનો, પ્રતિનિધિઓ અને શહેરની વિવિધ સંસ્થાઓ સહિત આ અવસરે ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, પ્રભારીશ્રીઓ, નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, વોર્ડ પ્રમુખ/મહામંત્રીશ્રીઓ સહિત તમામ કાર્યકર્તાઓ અને શુભેછકોને  ભા.જ.પા.કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ અને રાજુભાઇ બામભણીયા દ્વારા સંયુકત યાદીમાં જણાવાયું છે.

(11:27 am IST)