સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જામકંડોરણાનાં એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજાનું અકસ્માતમાં મોત

ધોરાજી-જેતપુર તા.૮: ધોરાજી પાસે સર્જાયેલ અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી માર્કેટીંગ યાર્ડ પાસે આજે બપોરે ૨ બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજયું હતું. એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા જેતપુર પરેડ પુરી કરીને જામકંડોરણા પોતાના બાઇક ઉપર આવી રહયા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

(4:18 pm IST)