સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

બળાત્કારના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લખતર પોલીસ

સુરેન્દ્રનગર તા ૮ : લખતર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર. ૩૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૬ મુજબના ગુન્હાના કામમાં નાસતા ફરતા અરોપી મનસુખભાઇ ગોકળભાઇ મારૂ જાતે ભરવાડ ઉવ.૨૯, રહે. લખતર લક્ષ્મીપરા, તા. લખતર વાળો ગઇ તા ૨૬/૦૫/૨૦૧૮ ના બપોરના બે વાગ્યે ફરીયાદી સાથે લખતર મુકામેેથી ચાલી ગયેેલ હોય સદર ગુન્હો લખતર પો.સ્ટે. તા. ૦૫/૦૬/૨૦૧૮ ના રોજ જાહેર થયેલ હોય અને મજકુર નાસતો ફરતો  હોય મે, શ્રી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપકકુમાર મેઘાણી સાહેબની સુચના આધારે મે ના. પો. અધિ.સા. સુરેન્દ્રનગર ડીવી. શ્રી બી.એમ. વસાવા સાહબેઓના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પો. ઇન્સ. સાહેબ શ્રી ડી.બી.રાણા ની સુચના આધારે, મજકુર આરોપીની કોલ ડીટેઇલ તથા અંગત બાતમીદારો થી હકીકત મેળવી ઉંડાણપૂર્વક તપાસ કરી તાત્કાલીક આરોપીને શોધી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ સબ ઇન્સપેેકટરશ્રી એન.એલ. સાખટ તથા લખતર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ.ઇન્સ. શ્રી એન.એલ. સાંખટાએ મોબાઇલ કોલ ડીટેઇલ તથા અંગત બાતમીદારો પાસેથી ખાનગી હકીકત મેળવી આ કામના આરોપી મનસુખભાઇ ગોકળભાઇ મારૂ જાતે ભરવાડ, ઉ.વ. ૨૯, રહે. લખતર લક્ષ્મીપરા, તા.લખતર વાળાને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

(4:01 pm IST)