News of Friday, 8th June 2018
અમદાવાદમાં લીંબડી ગોપાલ સંપ્રદાયનાં પૂ. કિરણબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા
વઢવાણ, તા., ૮: લીમડી ગોપાલ સંપ્રદાયના શિરછત્ર સમાન કાર્યવાહક ગોપાલ ગચ્છ શિરોમણી પૂ. ધન્યમુની મ.સાના આસાનુવર્તી અને પુ.મુકતાબાઇ મહાસતીજીના શુશિષ્ય પુ. કિરણબાઇ મહાસતીજીની તબીયત નાદુરસ્ત થતા કિરણબાઇ મહાસતીજીને અમદાવાદની એમ્સ હોસ્પીટલમાં લીંમડીથી સારવારમાટે લઇ જવામાં આવ્યા હતા.
સવારના ૮.ર૦ વાગ્યે એમ્સ હોસ્પીટલમાં સારવાર દરમિયાનમાં કાળધર્મ પામ્યા હતા. ત્યારે જૈન સમાજમા તમામ આગેવાનો અમદાવાદ એમ્સ હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા. પાર્થીવદેહને નુતન ઉપાશ્રય શાંતીવન પાલડી અમદાવાદ ખાતે રાખેલ છે. બપોર બાદ પાલખી યાત્રા નિકળશે. જેમાં બહોળી સંખ્યામાં જૈન ભાવીકો જોડાશે.
(3:55 pm IST)