સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જામનગરમાં જગુઆર વિમાનમાં યાંત્રિક ખામીઃ એરફોર્સમાં ઈમરજન્સી લેન્ડીંગ

જામનગર તા ૮ :  જામનગરમાં એરફોર્સના જગુઆર વિમાનમાં યાંત્રિક ખામી સર્જાતા એરફોર્સમાંજ ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું

પ્રાપ્ત માહીતી મુજબ આજે શુક્રવારે સવારે ૯.૨૦ વાગ્યા આસપાસ પાયલોટ જગુઆર વિમાન લઇને ટ્રેનીંગ માટે નીકળ્યા હતા ત્યારે ખામી સર્જાતા વિમાનને તાત્કાલીક એરફોર્સના હવાઇ પટ્ટી વિસ્તારમાં જ ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવતા મોટી દુર્ઘટના કે  જાનહાની ની ઘટના સર્જાઇ ન હતી.

આ ઘટના અંગે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

હજુ બે ત્રણ દિવસ પહેલા જ કચ્છના મુંદ્રા તાલુકાના બેરાજી ગામ પાસે એરફોર્સનું વિમાન તુટી પડયું હતું જેમાં પાયલોટ શહિદ થયા હતા. જયારે અનેક પશુઓના મોત નીપજયા હતા. (૩.૧૬)

(3:44 pm IST)