વંથલીના ખેડુત અગ્રણી પર હુમલો કરનારા શખ્સોની સંપતિ જપ્ત કરવા કાર્યવાહી
સરપંચ ભૂરા કરમટા સાંજ સુધી રિમાન્ડ પર
જૂનાગઢ તા.૮ : વંથલીના ખેડુત પર હુમલો કરનાર શખ્સોની સંપતિ જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ધણફુલીયાના સરપંચ ભુરા કરમટા ને ક્રાઇમ બ્રાંચે સાંજ સુધીના રીમાન્ડ પર મેળવી અન્ય આરોપીઓની પકડવા તપાસ તેજ કરી છે.
ગત તા.૪ના રોજ ઓગષ્ટ મહીના લીઝના મુદ્દે વંથલી બંધનુ એલાન આપવામાં આવેલ જે દરમ્યાન ખેડુત આગેવાન નયનભાઇ કલોઇનું અજાણ્યા શખ્સો કારમાં અપહરણ કરી ગયા બાદ અને તેના ઉપર હુમલો કરી તેમને લોહી લુહાણ દરવાજે ફેકીને નાસી ગયા બાદ આ બનાવમાં તા.૬ની રાત્રે ડો.રાજકુમાર પાંડેયનું અને એસ પી નિલેશ જાજડીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચ ના ઈન્ચાર્જ પી.આઇ.આર. કે. ગોહિલ સહિતની પોલીસ ટીમોએ ખેડુત અગ્રણી પર હુમલો કરવા સબબ ધણફુલીયાના સરપંચ ભુરા કરનાભાઇ કરમટા - રબારીની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાંચે આ શખ્સને ગઇકાલે સાંજે કોર્ટમાં રજુ કરી આજે સાંજ સુધીના રીમાન્ડ પર મેળવેલ છે. આ બનાવમાં સંડોવાયેલા તમામ શખ્સોના નામ સ્પષ્ટ થઇ ગયા છે. પરંતુ હાલ ફરાર હોય તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ આ શખ્સોની સંપતિ જપ્ત કરવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.