સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

કપચી કોરી ઉદ્યોગમાં હડતાલની અસર... સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકના ૧૦ થી વધુ રોડના કામો અટકયા

 વઢવાણઃ સુરેન્દ્રનગરનાં અનેક વિસ્તારોમં હાલમાં રોડનું સમારકામ ચાલુ છે, તો કયાંક નવા રોડ બનાવવા માં આવી રહયા છે તમામ કામ નગરપાલિકાએ વરસાદ થાય એ પહેલા પુરા કરવા જરૂરી છે.,  પરંતુ હાલ કપચી કોરી ઉદ્યોગમાં હડતાલ હોવાથી અનેક રોડના કામો અધૂરા મુકી દેવાય છે..., કહેવાય છે કે કપચી કોરી ની હડતાલ અનિયમિત સમય સુધી છે, જયારે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ કામો ચોક્કસ સમયગાળામાં  પુરા કરવા જરૂરી છે. હવે થોડા સમય બાદ વરસાદ ની શરૂઆત થશે, તો આ કામો સમયાંતરે પૂર્ણ થશે કે નહિ? તેવો અણિયારો સવાલ પણ જાગૃત પંથકવાસીઓમાં સંભળાઇ રહયો છે.(તસ્વીર-અહેવાલઃ ફઝલ ચોૈહાણ, વઢવાણ) (૧.૧૭)

(12:40 pm IST)