સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

બાબરામાં દેવીપૂજક શખ્સો વચ્ચે બઘડાટીઃ મનહર અને દિલીપને ઇજા

જુના મનદુઃખને લીધે ધોકા-પાઇપ ઉલળ્યાઃ બંનેને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૮: બાબરામાં કરિયાણા રોડ પર રહેતાં અને ખેત મજૂરી કરતાં મનહર ધનજીભાઇ વણોદીયા (ઉ.૩૫) નામના દેવીપૂજક યુવાન પર પડોશમાં જ રહેતાં દિલીપ તથા અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયો છે. સામા પક્ષે દિલીપ કાનજીભાઇ મકવાણા (ઉ.૩૦) પણ પોતાના પર મનહર, દલસુખ અને અશોકે ધોકા-પાઇપથી માર માર્યાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. બંને વચ્ચે જુનુ મનદુઃખ ચાલતું હોઇ  તેના કારણે મારામારી થયાનું બહાર આવ્યું છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ બાબરા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(12:38 pm IST)