News of Friday, 8th June 2018
બહેનો દ્વારકાધીશના દર્શને
શ્રી જળમુખી મિત્રમંડળના લોહાણાપરાના પ્રમુખ જયસુખભાઇ દક્ષિણીની રાહબરી હેઠળ શ્રી જલારામબાપાનું છાશનું પરબ તેમજ અધિકમાસ દરમિયાન બહેનોને ટોકનદરે દ્વારકાધીશના દર્શનાર્થે લઇ જવા માટે બે બસનું આયોજન કરેલ હતુ. આ બસોનું પ્રસ્થાન રઘુવંશી પરિવારના પરેશભાઇ વિઠ્ઠલાણી (જલારામ બિલ્ડર), પ્રવિણભાઇ ડેલાવાળા (અગ્રણી વેપારી), કૌશિકભાઇ માનસાતા, પિન્ટુભાઇ માણેક, વિપુલભાઇ કારીયા તેમજ પ્રકાશભાઇ ગણાત્રાએ કરાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ જયસુખભાઇ દક્ષિણી, બાલાભાઇ રાવ, નિતીન સાતા, સુરેશ પુજારા, મચ્છાભાઇ, જીતુભાઇ શિંગાળા, જતીનભાઇ દક્ષિણી, કાનાભાઇ કેળાવાળા, જનકભાઇ ઉનડકટ તેમજ કિશોરભાઇ સોમૈયાએ જહેમત ઉઠાવી હતી.
(11:24 am IST)