સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જામનગરમાં કોરોનાનો કહેર યથાવતઃ કાલે વધુ ૭૨૪ કેસ પોઝિટિવ આવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા), તા. ૮ : જામનગર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નો આંકડો  ૭૦૦ ને પાર જ રહેવા પામ્યો છે.  કાલે શુક્રવારે જામનગર શહેરમાં ૩૯૮ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૩૨૬ મળી  કુલ જિલ્લામાં ૭૨૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત જામનગર શહેરમાં ૩૦૭ દર્દીઓ અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૩૦૫  દર્દીઓ સ્વસ્થ થતા રજા પણ અપાઈ છે. કાલે જામનગર શહેરમાં ૬ મોત અને ગ્રામ્ય વિસ્તારમાં ૩ લોકોના મોત થયાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

(12:38 pm IST)