News of Saturday, 8th May 2021
જામનગરમાં કોરોનાનો કહેર યથાવતઃ કાલે વધુ ૭૨૪ કેસ પોઝિટિવ આવ્યા
(મુકુંદ બદિયાણી દ્વારા), તા. ૮ : જામનગર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નો આંકડો ૭૦૦ ને પાર જ રહેવા પામ્યો છે. કાલે શુક્રવારે જામનગર શહેરમાં ૩૯૮ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૩૨૬ મળી કુલ જિલ્લામાં ૭૨૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત જામનગર શહેરમાં ૩૦૭ દર્દીઓ અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૩૦૫ દર્દીઓ સ્વસ્થ થતા રજા પણ અપાઈ છે. કાલે જામનગર શહેરમાં ૬ મોત અને ગ્રામ્ય વિસ્તારમાં ૩ લોકોના મોત થયાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.
(12:38 pm IST)