સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જુનાગઢ પાસે અજાણ્યા વાહન હડફેટે ભિક્ષુક જેવા ઇસમનું મોત

અકસ્માત બાદ વાહન ચાલક ફરાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: જુનાગઢ પાસે વડાલ રોડ પર આવેલ દશામાનાં મંદિર નજીક ગત રાત્રે આઠ વાગ્યાનાં અરસામાં અજાણ્યા વાહન ચાલકે તેમનું વાહન પુરઝડપે ચલાવી અજાણ્યા ભિખારી જેવા લાગતા ૩૦ વર્ષનાં ઇસમને હડફેટે લીધો હતો. અકસ્માતમાં આ વ્યકિતનું ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક તેનાં વાહન સાથે નાસી ગયો હતો.

આ અંગે સુખપુરનાં વિજયભાઇ વઘાસીયાની ફરિયાદ લઇ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:51 am IST)