સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

મોરબી શહેરમાં”માં જીવદયા ગ્રુપ” નો પ્રારંભ

મોરબી શહેરમાં ઘાયલ પક્ષીઓ ની નિઃસ્વાર્થ ભાવે સારવાર કરવાના હેતુથી માં જીવદયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે બર્ડ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબી શહેરમાં ક્યાંય પણ ઘાયલ,બિમાર અને ફસાયેલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક “માં બર્ડ હેલ્પલાઈન”નો સંપર્ક કરો.આ સંસ્થા ના હેલ્પલાઈન નંબર છે. 87 80 11 2014, અને ગ્રુપ વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો:- 96249 58918 , આ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને એક ઘાયલ પક્ષીને નવજીવન આપવામાં મદદરૂપ થવા માટે મોરબીના જીવદયા પ્રેમીઓને “માં જીવદયા ગ્રુપ” વતી નમ્ર અપીલ કરવામાં આવે છે

(10:45 pm IST)