જસદણ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
જસદણઃ શ્રી સ્વામિનારાયણ મંદિર કૈલાસનગર નવ્ય ભવ્ય અને નયનરમ્ય, દિવ્ય કલાત્મક મંદિરમાં અખાત્રીજના પરમ પવિત્ર દિવસના રોજ પ્રાતઃ કાળે સેંકડો સંતો અને હજારો હરિભકતોની હાજરીમાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા વડતાલ પિઠાધિપતિ ૧૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પધારી વહાલા વહાલા ઘનશ્યામ મહારાજની મુખ્ય વચ્ચેના નિજમંદિરમાં પ્રતિષ્ઠા કરી અને એકબાજુ ગોપીનાથજી મહારાજ, રાધિકાજી અને એકબાજુના મંદિરમાં જુલતા બાલુડા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી તેમજ હનુમાનજી, ગણપતિની, શિવ પાર્વતીજી અને હરિકૃષ્ણ મહારાજની હવેલીમાં પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે રાજકોટ ગુરૂકુળના મહંત સદ્દગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી વયોવૃદ્ધ સદ્દગુરૂ શ્રી શાસ્ત્રીશ્રી ભકિતજીવનદાસજી સ્વામી, સુરત ગુરૂકુળના જગદ્દગુરૂ પુરાણી ધર્મવલ્લદાસજીસ્વામી, પ્રભુચરણસ્વામી, જુનાગઢથી કોઠારી દેવનંદનદાસસ્વામી, આટકોથી સંતદાસજીસ્વામી, નીલકંઠધામથી, વર્ણીન્દ્રેધામથી સંતો ઉપસ્થિત રહી રૂડા આશિર્વાદ આપ્યા હતા. (તસ્વીર-અહેવાલ-હુસામુદીન કપાસી-ધર્મેશ કલ્યાણી-જસદણ)