સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th May 2019

ધોરાજીને સમયસર ચોખ્ખુ પીવાલાયક પાણી આપવા માંગણી

ધોરાજી તા.૮: ધોરાજીમા પાણી પ્રશ્ને ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ કરેલા ઉપવાસ અંગે એડવોકેટ ચંદુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ધોરાજીના લોકોને સમયસર પીવાનુ ચોખ્ખુ પીવાલાયક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

તેમણે વધુમા જણાવ્યુ હતુ કે, ધોરાજીને દર બે દિવસે પાણી આપવાનુ વચન પળાયુ નથી. અને હાલમા આઠ દિવસે પાણીનુ વિતરણ થઇ રહ્યુ છે.

ચંદુભાઇ પટેલે વધુમા જણાવ્યુ કે, લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ડેમ ઉપર થતી પાણી ચોરી અટકાવવી જરૂરી છે.

(11:42 am IST)