ભાવનગરના ટીમાણામાં પાલીવાલ બ્રહ્મસમાજના સમુહ યજ્ઞોપવિતમાં ૨૦૨ બટુકો જોડાશે
૩૬મો સમુહયજ્ઞોપવિત સમારંભ
ભાવનગર તા.૮: પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા ગુરૂવાર તા.૯-૫-૨૦૧૯ના રોજ તળાજા તાલુકાના ટીમાણા ખાતે સમગ્ર જ્ઞાતીના ૨૦૨ બટુકો અને ૧૫૭ વાલીઓ સમુહમાં યજ્ઞોપવિત ધારણ કરશે. ટીમાણા, હબુકવડ, બાબરિયાત, દાંત્રડ, ડાઢાવડ ગામના સહકારથી સમુહયજ્ઞોપવિત સમિતી દ્વારા પાલીવાલ સંસ્કાર સેવા ટ્રસ્ટ આયોજીત આ સમારોહમાં અલગ અલગ ગામોમાંથી ૧૫૦૦૦ મહેમાનો પધારશે સૌના માટે ભોજન પ્રસાદ, ચા, સરબત સહિતનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે દેશના આઠ રાજ્યોમાંથી પાલીવાલ આગેવાનો પધારશે સવારના ૬ થી ૯ મંડપ મુર્હત, ગણપતી પુજન, બટુકોને વાળ ઉતરાવવાની વિધી ૯ થી ૧ ગૃહશાંતિ, ૧:૩૦ થી ૨:૩૦ આર્શિવચન સમારોહ, બપોરના ૨:૩૦ થી ૪:૩૦ સંસ્કાર વિધી, સાંજના ૫:૦૦ કલાકે બટુક યાત્રા સુધી કાર્યક્રમ યોજાશે. બ્રાહણોને ગર્વ લેવા જવા આ વિશાળ કાર્યક્રમમાં સૌને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયુ છે.