સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ભાવનગરમાં આજે પણ કોરોનાથી એકનું મોત અને 84 પોઝિટિવ કેસ: વધુ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

શહેરમાં 61 કેસ અને ગ્રામ્યમાં 23 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 7517 થઇ : 6768 લોકોએ કોરોનાને હરાવ્યો : મૃત્યુઆંક 75 થયો : હાલમાં 667 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરમાં આજે પણ કોરોનાથી એકનું મોત અને 84 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 આજે ભાવનગર શહેરમાં  61  કેસ અને  ગ્રામ્યમાં  23 કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7517 થઇ છે જયારે અત્યાર સુધીમાં  6768 લોકોએ કોરોનાને હરાવ્યો છે જિલ્લા કુલ  મૃત્યુઆંક 75 થયો છે , હાલમાં 667 દર્દીઓ સારવાર હેઠળ  છે

(9:11 pm IST)