સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

વાંકાનેરના પલાસવા ગામે દર્દીઓની હાલત કફોડીઃ વૃક્ષ નીચે સારવાર કરાવવી પડી

મોરબીઃ કોરોના મહામારીના કારણે દર્દીઓના હાલ બેહાલ થયા છે અને દરરોજ દર્દીઓ તથા તેમના પરિવારજનોને હોસ્પીટલમાં સારવાર માટે લાઈનોમાં ઉભુ રહેવુ પડે છે. તંત્ર સાથે પણ રકઝક થઈ રહી છે ત્યારે આજે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પલાસવા ગામે ઝાડ નીચે દર્દીઓને સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓને ઝાડ નીચે જ બાટલા ચડાવવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ દર્દીઓને સારવાર મળે તે માટે પુરતી વ્યવસ્થા કરવી જરૂરી છે. મોરબી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીએ માથુ ઉંચકયુ છે ત્યારે લોકોને પુરતી સુવિધા મળે તેવી માંગ થઈ છે. તસ્વીરમાં વૃક્ષ નીચે સારવાર લેતા દર્દીઓ નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(4:17 pm IST)