નીખીલ દોંગા પ્રકરણમાં જેતપુર ભાજપ મહામંત્રી વિપુલ સંચાણીયાને ઉઠાવતી ભુજ પોલીસ
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૮ :.. ગોંડલના ગુજસીટોકના આરોપી અને ભુજની હોસ્પીટલમાંથી ભાગી જનાર નિખીલ દોંગાને ભાગવામાં મદદગારી કરવામાં જેતપુર ભાજપ મહામંત્રી વિપુલ સંચાણીયાનું નામ બહાર આવતા ગત રાત્રીના ભુજ પોલીસે વિપુલને શંકાના આધારે પુછપરછ માટે ભુજ લઇ ગયેલ હોવાનું પોલીસ દફતરેથી જાણવા મળેલ છે.
તેવુ પણ જાણવા મળેલ છે કે વિપુલ નિખીલ દોîગાને મળવા ૩ વખત જેલમાં ગયેલ. ઉપરાંત ભુજની જેલના અધિકારીને પંખા અને તેલના ડબા આપ્યા હોવાનું ચર્ચાય રહયુ છે. વિપુલ સંચાણીયા શહેર ભાજપમાં સક્રિય કાર્યકર્તા હોય ભુજ પોલીસ પુછપરછ માટે લઇ જતાં શહેરમાં વાયુ વેગે વાત પ્રસરી ગઇ છે. પુછપરછ દરમ્યાન જા નિખીલ દોંગીને ભગાડવામાં વિપુલની ભૂમિકા બહાર આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.