સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

દેલવાડાના સંતોષદાસ કુંભસ્નાન માટે હરિદ્વાર સુધીની સાઇકલ યાત્રા કરશે

૧૩મીથી સાઇકલ યાત્રાનું પ્રસ્થાન કરશે : દરરોજ ૧૦૦ કિમી સાઇકલ ચલાવશે

(નીરવ ગઢિયા દ્વારા) ઉના,તા. ૮: દેલવાડાના સાઈબાબાના મંદિર પાસે રહેતા શ્રી સંતોષ દાસ ગુરુ ભગવાનદાસ દ્વારા દેલવાડાથી હરિદ્વાર સાઇકલ યાત્રા દ્વારા કુંભ સ્નાન માટે તા. ૧૩ના રોજ પ્રસ્થાન કરશે.

તેઓએ જણાવેલ કે તે રોજના ૧૦૦ કિલોમીટર સાયકલ ચલાવશે અને પંદર દિવસમાં હરિદ્વાર કુંભ માં પહોંચી જશે.તેઓ સોમનાથ જુનાગઢ રાજકોટ મોરબી પાલનપુર આબુ અજમેર જયપુર દિલ્હી બાઇપાસ થઈ હરિદ્વાર પહોંચશે. તેઓનું સૂત્ર 'સારા બનો, સારૃં કરો'તેઓ કોરોના માટે પણ યાત્રા દરમિયાન જનજાગૃતિ ફેલાવશે. અને કુંભ સ્નાનમાં તેઓ આ મહામારીમાંથી ભારત મુકત થાય અને વિશ્વનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરશે.અંતે સૌને રામ નામનો મંત્ર અને યોગ પ્રચાર-પ્રસાર કરશે.તેઓના મોબાઈલ નંબર.૮૧૫૪૮૮૩૨૫૬ છે.

(11:42 am IST)