સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ટંકારાના હડમતીયા ગામમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

કરીયાણાની દુકાનો સવારે 6થી 8 અને સાંજે 6થી 7 એમ કુલ મળીને દિવસમાં 3 કલાક ખુલી રાખવાની છુટ

ટંકારા: તાલુકાના હડમતીયા ગ્રામપંચાયતે વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.

ટંકારાના હડમતીયા ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તારીખ 9 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અલબત્ત કરીયાણાની દુકાનો સવારે 6થી 8 અને સાંજે 6થી 7 એમ કુલ મળીને દિવસમાં 3 કલાક ખુલી રાખવાની છુટ આપી છે. આ સિવાય ગામના પાન પાર્લરો, ખાણીપીણી, ચાની દુકાનો, કેબીનો, હોટલ, શાકભાજીના ફેરિયા, હર સલુન, શેરડીના રસના ચિચોડા, તેમજ આઈસ્ક્રીમ સહિત ઠંડા પીણાંની દુકાનો 5 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો સર્વ સહમતીથી નિર્ણય લેવાયો છે. ગામને કોરોના સંક્રમણથી બચાવવા આ સાથે જ પંચાયતના સભ્યોએ ગ્રામજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.

(11:03 am IST)