સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કોરોના સંક્રમિત : લોકોને સાવચેત રહેવા અપીલ

ટંકારા,તા. ૮: ટંકારા તથા ટંકારા તાલુકામાં કોરોના નું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહયું છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહેલ છે. દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ રહે છે.

કોરાના સામે ગામડાઓ જાગૃત થઇ ગયેલ છે. ટંકારા તાલુકાના કલ્યાણપર, હમીરપર નેકનામ વિગેરે ગામોમાં ઠંડા પીણાના વેચાણ પર તથા બહારથી આવનાર ફેરીયા ઉપર પ્રતિબંધ કરાયેલ છે. ગામડાના દુકાનદારોને સવારેથી બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવા તથા બપોર પછી દુકાનો બંધ રાખવા સરપંચો દ્વારા અપીલ કરાયેલ છે. ટંકારામાં જાગૃતિનું પ્રમાણ ઓછું છે.

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા પણ કોરોના સંક્રમિત થયેલ છે. તેમણે તેમની સાથે સંપર્ક માં આવેલા લોકોને રિપોર્ટ કરાવવા વિનંતી કરેલ છે. તેમજ ટંકારા તાલુકાના નાગરિકોને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ જરૂર પૂરતું જ બહાર નીકળવા અનુરોધ કર્યો છે .

(10:12 am IST)