સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th April 2020

જૂનાગઢની તમામ કચેરીઓને કરાશે દવા છંટકાવ

કલેકટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની મહત્વની ૧૦ જેટલી કચેરીઓની સેનીટાઇઝેશન કામગીરી પૂર્ણ કરાઇ

જૂનાગઢ,તા.૮: જૂનાગઢ ખાતે રાજય સરકારની ૭૦ થી વધુ કચેરીઓ કાર્યરત છે. કોરોના વાયરસ સંદર્ભે  આ તમામ કચેરીઓને માર્ગ મકાન વિભાગ દ્રવારા તબકકાવાર સેનીટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સેનીટાઇઝ કરવાની આ કામગીરીમાં માર્ગ મકાન વિભાગને સ્વૈચ્છિક સહયોગ મળ્યો છે.

કલેકટર કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી, સરદારબાગ ખાતે બહુમાળી ભવન, માહિતી ભવન, જિલ્લા તિજોરી કચેરી, ડીઝાસ્ટર કંન્ટ્રોલ રૂમ, માર્ગ મકાન ડિવિઝન ઓફીસ, તાલુકા સેવા સદન સહિતની કચેરીઓમાં સેનીટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.તેમ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ગૌસ્વામીએ જણાવ્યુ હતુ.

કોરોનાના કહેરમાં લોકોની સુરક્ષા અને આરોગ્ય જાળવણી માટે કાર્યરત સરકારી કચેરીઓમાં  તકેદરી લેવા સોડીયમ હાઇપો કલોરાઇડને જરૂરી પ્રમાણમાં પાણી સાથે મીક્ષ કરી ઓટોમેટીક સ્પ્રિકલર પમ્પ અને જેટ સ્પ્રે મીની ટેન્ક ફાઇટર દ્રવારા સેનીટાઇઝ કરવામાં આવે છે. કચેરીઓ સેનીટાઇઝ થવાની સાથે મચ્છર, આલ્ગી, બેકટેરીયા,ફુગ અને રોગ ઉત્પન કરતા તમામ કીટકોનું પણ નિયંત્રણ થઇ શકશે.

માર્ગ મકાન વિભાગની આ કામગીરીમાં કોપોર્રેટર સુરેશભાઇ પાનસુરીયા, મૌલીક સ્કુલના ટ્રસ્ટી સ્વેતાંગભાઇ વૈષ્નવ, યુવરાજભાઇ ગૌસ્વામીની ૧૫ સભ્યોની ટીમનો સ્વૈચ્છિક સહયોગ મળ્યો છે. સરકારી કચેરીઓમાં અધીકારીઓ તેમજ લોકોની આવન જાવન સંદર્ભે સેનીટાઇઝેશન ખુબ જરૂરી હોય આ કામગીરી સ્વયંભુ કરવામાં આવી રહી હોવાનું સુરેશભાઇ પાનસુરીયાએ જણાવ્યુ હતુ.

(12:50 pm IST)