જામનગરમાં પુખ્ત વયના લોકોમાં પેશાબમાં ચેપની સમસ્યા માટે નિદાન
જામનગર તા.૮: બદલાતી જતી જીવનશૈલી અને આહાર વિવિધ સમસ્યાઓનું એક મુખ્ય કારણ છે. પેશાબમાં થતાં ચેપથી પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ થવું, રાત્રે વારંવાર પેશાબ થવાને લીધે નિદ્રામાં ખલેલ, લીકેજ થવું જેવા લક્ષણો પેદા કરે છે. પુખ્ત વયના લોકો માટે પેશાબમાં ચેપની સમસ્યા માટે ૧૩/૦૩/૨૦૨૧ શનિવાર સુધી સવારે ૯ થી બપોરે ૧૨:૩૦ અને સાંજે ૪ થી ૬ કલાક તેમજ શનિવારે માત્ર ૯ થી ૧૨:૩૦ વાગ્યા સુધી મૌલિક સિદ્ઘાંત વિભાગ, ઓપીડી નંબર ૧૧, પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, આઇ.ટી.આર.એ, રિલાયન્સ સુપરમોલની સામે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કેમ્પનો લાભ લેવા જામનગરની જનતાને ઇન્ચાર્જ આર.એમ.ઓ. આઈ.ટી.આર.એ.ની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.