સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

જેતપુરના મોટા ગુંદાળા કળીયુગના શ્રવણે પિતાને યાત્રાને બદલે અનંતની યાત્રાએ મોકલી દીધા

રેતી હટાવવા બાબતે બોલાચાલી થતા પિતાનું ગળુ દબાવી દીધું

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૮ : તાલુકાના મોટા ગુંદાળા ગામે પુત્રને પિતાએ ઠપકો આપતા બોલાચાલી કરી ઉશ્‍કેરાઇ જઇ ગળા ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધાની ફરીયાદ તાલુકા પોલીસમાં નોંધાઇ છે.

વિગત એવી છે કે તાલુકાના મોટા ગુંદાળા ગામે રહેતા મયુરભાઇ અમીપરા (ઉ.વ.૭ર)નો પુત્ર રાજેશ ઉર્ફે રાજુ તેની સાથે મકાનમાં રહેતો હોય, તેણે મકાનમાં રેતીનો ઢગલો કરેલ હોય, મયુરભાઇ ઘરમાં આવતા તેણે રેતીનો ઢગલો હટાવી લેવાનુ઼ કહેતા પુત્ર રાજુએ ઉશ્‍કેરાઇ જઇ પીતા સાથે બોલાચાલી કરી તને મારી નાખવો છે તેમ કહી દોરી વડે પિતાને ગળે ગળા ટુપો દઇ મોતને ઘાટ ઉતારી દીધેલ અને નાસી છુટેલ આ અંગે જાણ તેના બીજા પુત્ર વિનુભાઇને થતા તેમને આ અંગે બનાવની જાણ તાલુકા પોલીસમાં કરતા પીએસઆઇ પી.જે.બાટવા તેમના સ્‍ટાફ સાથે બનાવના સ્‍થળે પહોંચી જઇ મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્‍પીટલ ખાતે એડી વિનુભાઇની ફરીયાદ પરથી રાજુ અમીપરા વિરૂધ્‍ધ આઇપીસી ૩૦ર મુજબ ગુન્‍હો નોંધી તેને પકડી પાડવા પીએસઆઇ  પી.જે. બાંટવાએ ચક્રો ગતિમાન કર્યા છે.

(1:14 pm IST)