ભાવનગરમાં ૧૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૨૪૦ કેસો પૈકી ૪૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮ : ભાવનગર જિલ્લામા નવા ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૪૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૬ કેસ મળી કુલ ૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૨૪૦ કેસ પૈકી હાલ ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.