સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મંદિરમાં પૂ.જલારામબાપાની પુણ્યતિથી નિમિતે પૂજન -શણગાર

વાંકાનેર,તા.૮: વાંકાનેરમાં ઐતિહાસીક વર્ષો પુરાણી સંત શ્રી મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સંત શિરોમણી શ્રી જલારામબાપાના મંદિરમા આજે પૂજય સંત શિરોમણી શ્રી જલારામબાપાની (૧૪૦ મી) પુણ્યતિથિ નિમિતે પૂજય સંત શ્રી જલારામબાપાનુ વિશેષ પૂજન અર્ચનવિધિ શાસ્ત્રીજી શ્રી મેહુલભાઈ મહારાજશ્રીએ શાસ્ત્રોકત વિધીથી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે સવારે કરાવેલ હતી જે પૂજામાં વાંકાનેરના પૂજય શ્રી જલારામબાપાના ભકતજન સમીર ટ્રેડર્સવાળા શ્રી બાબભાઇ લાખાણી તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ પૂજામાં બેઠા હતા તેમજ આજે પૂજય સંત શિરોમણી શ્રી જલારામબાપાની પુણ્યતિથિ હોય પૂજય શ્રી જલારામબાપાના નિજ મંદિરમાં અનોખો પુષ્પોનો શણગાર કરવામાં આવેલ છે સહું ભાવિક ભકતજનોએ પૂજા દર્શન, શણગાર દર્શનનો લાભ લીધેલ હતો તેમજ સાંજે બાપા ની મહા આરતી કરવામાં આવશે.

(11:15 am IST)