સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

જમીનના પ્લોટનું ખોટુ સાટાખત કરી રૂ. ૮ લાખનો યુવાનને ધૂંબો

જૂનાગઢ પોલીસમાં ૪ શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા રૂતુલ જેન્તીલાલ સતાસીયા (ઉ.વ. ૩૩)ને જમીનનો પ્લોટ લેવો હોય જેથી માંગરોળના નગીચાણાનો હરેશ રણછોડભાઈ સોનારીયાએ જૂનાગઢ નજીક ન્યુ જૂનાગઢ નામે ઓળખાતા વિસ્તારમાં જમીનનો એક પ્લોટ બનાવેલ.

બાદમાં રૂ. ૧૪,૫૬,૬૬૫માં સોદો નક્કી થયેલ અને રૂ. ૮ લાખ હરેશ સોનારીયાએ રૂતુલ સતાસીયા પાસેથી લઈ નોટરી પાસે સાટાખત કરાવી આપ્યુ હતું.

આ અંગે રૂતુલ સતાસીયાએ ખાત્રી કરતા આ પ્લોટ અગાઉ રામીબેન વરૂને વેચેલ હોવાનું અને દસ્તાવેજ પણ થઈ ગયો હોવાનું જણાયુ હતું.

આથી હરેશ સોનારીયા તેમજ ટીંબાવાડીના દેવમુરારી લક્ષ્મીદાસ રામકૃષ્ણદાસ અને ભરત નામની વ્યકિત સામે છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરીયાદ થઈ છે.

(12:54 pm IST)