સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

જામનગર સમુહલગ્નોત્વના નવ યુગલોને આર્શિવચન પાઠવતા રાજયમંત્રી જાડેજા

જામનગરઃ જામનગર ખાતે આણદાબાવા સેવા સંસ્થાન દ્વારા ૧૪માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમૂહ લગ્ન સમાજમાં આવકારદાયક પગલું છે. આણદાબાવા સંસ્થા દ્વારા માનવસેવાની ૩૩ જેટલી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જામનગરને આવી સંસ્થાના આશિર્વાદ છે, કે જેના થકી આજે ૧૦૮ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડી આગળ વધી રહ્યા છે. લગ્નમાં વધુ ખર્ચ અને તેના કારણે ઉત્પન્ન થતી આર્થિક પરિસ્થિતિ ગરીબ પરિવારોને મુશ્કેલીમાં મૂકી દે છે, ત્યારે આણદાબાવા સેવા સંસ્થાન જેવી માનવસેવાની સંસ્થાના સમૂહલગ્નથી દરેક સમાજની દિકરીને આર્થિક ચિંતા વગર સપ્રેમ વિદાય આપી શકાય છે, આવી પ્રેરણા અન્યો પણ લે તેવો અનુરોધ છે.  આ તકે નવદંપતીઓને આશિર્વચન પાઠવી રાજયમંત્રીશ્રીએ પુત્રવધૂને દીકરી સમાન માની સમાજના ઉત્થાનમાં સહભાગી બનાવવાનો અનુરોધ કર્યો હતો. આ લગ્નોત્સવમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી બાપુશ્રી, મુખ્યદાતાશ્રી કેતનભાઇ કોટેચા અને અન્ય આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, નવદંપતીઓ અને તેમના પરિવારો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(12:51 pm IST)