સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

જુનાગઢમાં એસ.ટી.કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓનું સન્માન

જુનાગઢ,તા.૮: એસ.ટી. કર્મચારી મંડળ જુનાગઢ વિભાગ દ્વારા કર્મચારી મંડળના પ્રમુખ ગભરૂભાઈ લાલુના અધ્યક્ષ સ્થાને એસ.ટી. જુનાગઢ ડેપોમાં સારૂ ડીઝલ કે.એમ.પી.એલ તથા સારી આવક ઈ.પી.કે.એમ. લાવતા ડ્રાઈવર કંડકટરને સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઈ રવિયા, ડેપો મેનેજરશ્રી ચૌધરી, એસ.ટી.વર્કશ ફેડરેશનના મહામંત્રી પ્રફુલભાઈ સોલંકી, એટીએસ શ્રી પરમાર ડેપોના હેડમીકેનીક, એ.ટી.આઈ. સહીતના તમામ અધીકારી- સુપરવાઈઝર હાજર રહેલ હતા. જેમને પણ સન્માનીત કરાયા  હતા. આ તકે ડ્રાઈવર અજીતભાઈ વેગડ સાહેબખાનને તેમજ સારી આવક લાવનાર કંડકટર દક્ષાબેન ગડચર પરેશભાઈ વૈદ્યને પુસ્કાર રૂપે ભેટ આપી સન્માનીત કરવામાં આવેલ હતા. સફળ બનાવવા કર્મચારી મંડળના આગેવાનો નરેન્દ્રભાઈ ગઢવી, વિજયભાઈ ગોવાળીયા, વલ્લભભાઈ ભાદ્વકા, કેતનભાઈ મહેતા તથા અતુલભાઈ લાલાણી દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સફળતા પુર્વક સંચાલન હેમેન્દ્રભાઈ અપારનાથી દ્વારા કરવામાં આવેલ હતું.

(12:50 pm IST)