કાલે જામજોધપુરમાં ધુનડા સતપુરણધામ આશ્રમે પૂનમ નિમિતે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ
પૂજન, અર્ચનનો લાભ લેવા ભાવિકો ઉમટશે
જૂનાગઢ, તા. ૮ :. જામજોધપુરથી ૨૧ કિ.મી.ના અંતરે આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે તા. ૯ ફેબ્રુઆરી રવિવારના રોજ રાત્રે ૯ કલાકે પૂનમ નિમિતે પૂ. જેન્તિરામબાપાના સત્સંગનો કાર્યક્રમ યોજાનાર છે.
જેમા આજના તનાવભર્યા જીવનમાં મનુષ્યએ શાંતિમય જીવન કેમ જીવવું ? આધી-વ્યાધી અને ઉપાધીના ત્રિવિધ તાપમાંથી બચી મોક્ષ માર્ગે આત્મકલ્યાણ અર્થે આગળ વધવા માટે ગુરૂચરણમાં જઈ સેવા ભકિત સ્મરણ દ્વારા અધ્યાત્મ જીવનમાં આગળ વધવા માટે પૂ. જેન્તિરામ બાપા ભજન સત્સંગ દ્વારા અનુભવગત માર્ગદર્શન આપશે તેમજ નિરાકાર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કેમ કરાય? પરમાત્માનું ધ્યાન કેમ ધરવું ? તે અંગે વિસ્તૃત માહિતી આપશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઈ સહિતના પ્રાંતોમાંથી સત પરિવારના સત્સંગી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેનાર હોય જેને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.