હુ સગીર છું... મારા લગ્ન બળજબરીથી થાય છેઃ ૧૮૧માં ફોન .. ૪૫ મિનિટમાં લગ્ન અટકયા
અભ્યમનું આવકારદાયક કાર્યઃ પ્રભાસપાટણ પંથકની ઘટનાની ઠેરઠેર ચર્ચા
પ્રભાસ પાટણ,તા.૮:મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે કે,ઙ્ગગુજરાતની મહિલાઓ- દીકરીઓ ની ચિંતા અને મૂંઝવણ એ અમારીઙ્ગ ચિંતા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એ અમારીઙ્ગ સરકારનો મંત્ર છે. સંવેદનશીલ સરકારના સંવેદનશીલ તંત્રની મહિલાઓને મદદ કરવાની કામગીરીની આ વાતઙ્ગ અને મંત્રને ચરિતાર્થઙ્ગ કરાવતો એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો હતો.
વાત જાણે એમ છે કે,ઙ્ગગીર-સોમનાથ જિલ્લાની એક ૧૭ વર્ષની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને મૂંઝવણમાં હતી. આ સગીરાને લગ્ન કરવા ન હતા અને તેના પરિવારજનો તેના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા. સગીરાનું કંઈ ચાલ્યું નહીં .અંતે એ જ થયું જે સગીરા ઇચ્છતી ન હતી. પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યા. કંકોત્રી પણ લખાઈ ગઈ. ૧૧મી ફેબ્રુઆરીએ તેમના લગ્ન હતા. ચિંતાતુર સગીરાને શું કરવું એ કંઈ સૂઝતું ન હતું અને અંતે તેને પોતાને વિચાર આવ્યો કે ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભયમ ની ટીમ તેમને મદદ કરશે.
આ યુવતી રડતા રડતા ૧૮૧ ફોન કરે છે કે,'ઙ્ગમારે હજુ લગ્ન કરવા નથી અને મારા પરિવારજનો મારા લગ્ન કરવા માંગે છે. કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને ૧૧મી એ તમે આવજો અને મારા લગ્ન અટકાવી મને મદદ કરજો.'રાજય સરકારનો એ પણ મંત્ર છે કે,કાલનું કામ આજે કરવું છે અને આજનું કામ અત્યારે કરવું છે. ગીર સોમનાથની ૧૮૧ ની ટીમના સભ્ય સંતોકબેન અને તેજલ બેને સગીરાને ચિંતા મુકત થવાનુ કહીને અમે અત્યારે જ આવીએ છીએ તેમ કહીને તેઓ ૪૫ મિનિટમાં સગીરાના દ્યરે પહોંચી ગયા. દ્યરે પરિવારજનો ન સમજતા અંતે પોલીસની મદદથી આ બાળ લગ્ન અટકાવી પરીવારજનો અને સૌ કોઈ વચ્ચે સમાધાન કરીને સુમેળ ભર્યા વાતાવરણમાં ૧૮૧ ની મહિલા અભયમઙ્ગ તેમની ટીમ એકાદ કલાકના કાઉન્સિલિંગ બાદ પરત ફરી ત્યારે આ સગીરાના ચહેરા પર સ્મિત હતું.ઙ્ગ પરિવારજનો કે સગા સંબંધી જે મદદ ન કરી શકયા તે મદદ ૧૮૧ ટીમે કરતા તેણીએ આ ટીમનો આભાર માન્યો.